Breaking
Sun. Jan 19th, 2025

અન્ય મહિલા સાથે આડા સંબંધને લઇ દારુ પીને પતિએ માર મારી પત્નીને કાઢી મૂકી

Spread the love

પૂર્વ વિસ્તારમાં ઘર કંકાશના કિસ્સાઓ વધી રહ્યા છે, નરોડામાં પરિવાર સાથે રહેતી ૫૫ વર્ષીય મહિલાનો લગ્ન જીવન ખોરવાયું છે. લગ્નના ૨૬ વર્ષ પછી ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પતિને બીજી મહિલાઓ સાથે આડા સંબંધના કારણે દારુ પીન પત્ની સાથે મારઝૂડ કરીને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપતો હતો, એટલું જ નહી દોઢ મહિના પહેલા પત્નીને કાઢી મૂકી હતી. આ બનાવ અંગે સરદારનગર પોલીસે પતિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઘર ખર્ચ આપતો ન હતો દોઢ મહિનાથી મહિલાએ પિયરમાં આશરો લીધો હતો. ઘરે જવા પ્રયાસ કર્યો પણ ઘરમાં ઘૂસવા દેતો નથી, હથિયારનો પરવાનો હોવાથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

સરસપુર વિસ્તારમાં પિયરમાં રહેતી ૫૫ વર્ષની મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં રહેતા પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ૨૬ વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે લગ્ન થયા હતા. પતિ પાસે દારુની પરમીટ હોવાથી બે વર્ષથી દારુ પીને મહિલાને માનસિક શારિરીક ત્રાસ આપીને મારઝૂડ કરતો હતો. અને મહિલા તથા સંતાનોને ઘરખર્ચ આપતો ન હતો તેમજ પિયરમાંથી લાવેલા દાગીના પણ આપતો ન હતો.

ઉપરાંત બેથી વધુ મહિલાઓ સાથે આડા સંબંધના કારણે ફરિયાદી મહિલા સાથે કોઇપણ કારણ વગર તકરાર કરીને માર મારતો હતો અને પિયરમાં પણ જવા દેતો ન હતો. એટલું જ નહી દોઢ મહિના પહેલા પતિની પ્રેમિકા ઘરે આવી હતી તેની નજર સામે મહિલાને ગાળો બોલીને મહિલા અને દીકરીને કાઢી મૂકી હતી બાદમાં મહિલાએ ઘરે જવા પ્રયાસ કરતાં ઘરમાં ઘૂસવા દેતો ન હતો. આ ઘટના સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *